તબર્રા તર્ક કરવાથી પોતે ઝાલીમમાં શામીલ થાય છે

વાંચવાનો સમય: 2 મિનિટ

અમુક લોકો છે કે જેઓ તબર્રાથી પરહેઝ કરવાનું કહે છે અને તે માટે બહાનાઓ રજુ કરે છે.

તબર્રા પ્રત્યે આવુ વલણ તે આશ્ર્ચર્યજનકછે. જ્યારે કે કુરઆને કરીમની આયતો અને હદીસોમાં આનો ઝીક્ર થયો છે. બે મહા ભારે વસ્તુઓ (સકલૈન) તરફ રજુ થવાથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે તબર્રા ન ફકત દીનનો ભાગ છે પરંતુ તબર્રાને છોડવાથી ગંભીર પરિણામો આવે છે.

ઉદાહરણ માટે કુરઆનની આ આયતને જોવો:

“તમે કહો કે મારી પહેલા ઘણા રસુલો સ્પષ્ટ દલીલો લઈને તમારી પાસે આવ્યા હતા અને તમે જે કાંઈ કહો છો તે પણ લાવ્યા હતા પછી જો તમે સાચા છો તો તમોએ તેમને શા માટે કત્લ કર્યા હતા?”                                                                              (સુરએ આલે ઈમરાન 3: 183)

ઈમામ સાદિક (અ.સ.)એ ફરમાવ્યું: અને પછી પાછળની પેઢીવાળાઓમાંથી એક એ કહ્યું કે અમોએ ન તો તેઓને (નબીઓ) કત્લ કર્યા છે અને ન તો તેમના કત્લ ઉપર સાક્ષી છીએ.

તેઓને હકીકી કાતીલોથી દૂરી અને બરાઅત કરવાનું કહેવામાં આવ્યું.

પરંતુ તેઓએ ઈન્કાર કર્યો. (તેથી કુરઆન તેમને નબીઓના કત્લમાં ભાગીદાર સમજે છે).

  • સુરએ આલે ઈમરાન 3: 183ની હેઠળ તફસીરે અય્યાશી, ભા. 1, પા. 209
  • વસાએલુશ્શીઆ, ભા. 16, પા. 141, ભા. 16, પા. 268

તેવીજ રીતે જેઓ ઈમામ હુસૈન (અ.સ.)ના કાતીલો ઉપર લઅનત કરવાથી પરહેઝ કરે છે તેઓનો શુમાર પણ કાતીલોમાં થાય છે.


રસુલુલ્લાહ (સ.અ.વ.)એ ચેતવણી આપી હતી: અલ્લાહ લઅનત કરે જેઓએ ઈમામ હુસૈન (અ.સ.), તેમના મોહીબ્બો અને તેમના મદદગારોને શહીદ કર્યા, અને તેઓ ઉપર કે જેઓ આ બાબત ચૂપ છે અને કાતીલો ઉપર લઅનત કરવાથી પરહેઝ કરે છે અને તકય્યામાં ન હોવા છતા ચૂપકીદી રાખે છે.
બેહારૂલ અન્વાર, ભા. 44, પા. 304


રસુલુલ્લાહ (સ.અ.વ.)એ એવીજ રીતે શંકા કરનારાઓ ઉપર લઅનત કરી છે:
જે કોઈ તેના ઉપર લઅનત મોકલવાને ખરાબ ગણે કે જેના ઉપર અલ્લાહે લઅનત મોકલી છે તો પછી તેવા શખ્સ ઉપર અલ્લાહની લઅનત છે.

  • રેજાલે કશી, પા. 529
  • અવાલીમ અલ લયાલી, ભા. 23, પા. 589
  • બેહારૂલ અન્વાર, ભા. 25, પા. 319

સ્પષ્ટપણે, તબર્રા ઈમાનના અનુસંધાને એક ખુબજ મહત્વની બાબત છે અને તેનો શુમાર નમાઝ અને રોઝાની જેમ ઈબાદતમાં થાય છે. જે કોઈ તબર્રાથી પરહેઝ કરે તેનો શુમાર ઝાલીમોની સાથે થાય છે કે જેમના ઉપર અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.)ની લઅનત છે

ખલીફાઓનો સૌથી મોટો ભય : આજે ફદક, કાલે ખિલાફત

ફદકના વિવાદથી પૂરવાર થયું છે કે હઝરત ફાતેમા ઝહરા (સ.અ.) નો હાથ ઉપર હતો.

હકીકતમાં તેમણે તેમનો દાવો એટલી મજબુત દલીલો અને અખંડ પૂરાવાઓ સાથે પકડી રાખ્યો હતો કે અમુક એહવાલો મુજબ તે સમયના ખલીફાને આપ (સ.અ.) ને ફદક પાછો આપવાનો લેખિત હુકમ આપવાની ફરજ પાડવામાં આવી. 

સૌથી મહત્વનો પ્રશ્ન: “હ.ફાતેમા ઝહરા (સ.અ.)ને ફદક પાછો આપવામાં શા માટે ખલીફાઓ ગભરાયેલા હતા?”

ઈબ્ન અબીલ હદીદે ખલીફાઓની આ દુવિધાને તેમની કિતાબ શર્હ નહજુલ બલાગાહમાં ટાંકી છે.

તેઓ લખે છે :

બગદાદના એક શિક્ષકને પૂછવામાં આવ્યું : “ફાતેમા (સ.અ.) તેમના દાવામાં સાચા ન હતા?”

શિક્ષકે જવાબ આપ્યો : “હા”

પછી તે માણસે પૂછ્યું : “તેણી (સ.અ.) સાચા હતા તો શા માટે અબુ બક્રે તેમને ફદક ન આપ્યો?”

શિક્ષક : “અગર તે ફદક તેણી (સ.અ.) ના એકલાના દાવા પર આપી દેતે તો ચોક્કસપણે પછીના દિવસે તેણી તેના પતિની ખિલાફતનો દાવો કરતે અને આ રીતે તેને ખલીફાના હોદ્દા પર થી દૂર કરી દેતે.

 પછી તેના માટે શક્ય ન હતું કે કોઈ બહાના બનાવી શકે જયારે કે તે જાણતો હતો કે તેણી (સ.અ.) તેના દરેક દાવાઓમાં સાચા હતા.

ઈબ્ન અબીલ હદીદ ઉલ્લેખ કરે છે કે આ સંવાદ સાચો છે.

  • શર્હ નહજુલ બલાગાહ ભાગ ૧૬ પેજ ૨૮૪
  • ઇસ્બાત અલ હુદા ભાગ ૩ પેજ ૪૧૦.

દેખીતી રીતે ખલીફાઓએ પોતાની ખિલાફતનો ભય હોવાથી જ.ફાતેમા (સ.અ.) ને ફદકથી વંચિત રાખ્યા.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*