મુબાહેલાની દ્રષ્ટિએ સહાબા ઉપર એહલેબૈત (અ.મુ.સ.)ની ફઝીલત

વાંચવાનો સમય: 3 મિનિટ

સહાબીઓ અને પત્નિઓના ટેકેદારોને  એ હકીકતનો સતત સામનો કરવો પડેછે કે તેમના  સરદારોએ ઈસ્લામના ઈતિહાસમાં કયારેય  કોઈ યોગદાન નથી આપ્યું.

આમાં મુબાહેલાનો બનાવ શામીલ છે જેમાં રસુલુલ્લાહ (સ.અ.વ.) નજરાનના યહુદીઓ સામે પોતાની પવિત્ર આલને લઈ ગયા. સહાબીઓ અને પત્નિઓ કયાંય નજર આવતા ન હતા, જે ઈસ્લામ માટે એક સારી બાબત સાબીત થઈ.

પ્રથમ તો મુબાહેલાના બનાવને જાણવો બેહતર છે જેથી ઈસ્લામમાં એહલેબૈત (અ.મુ.સ.)નો મરતબો અને દરજ્જો સમજાય.

ઈમામ મુસા કાઝીમ (અ.સ.) હારૂન અબ્બાસી સાથે ચર્ચા કરેછે:

એક દિલચસ્પ ચર્ચામાં ઈમામ મુસા કાઝીમ (અ.સ.) સમયના કહેવાતા ખલીફા હારૂન અબ્બાસીને બતાવે છે કે કેવી રીતે મઅસુમ ઈમામો (અ.મુ.સ.) સુરએઆલેઈમરાન-3, આયત 61 મુબાહેલાની આયત થકી રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ફરઝંદોછે.

હારૂને ઈમામ મુસા કાઝીમ (અ.સ.)ને સવાલ કર્યો: કેવી રીતે ઈમામો(અ.મુ.સ.) રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ફરઝંદો છેજ્યારે કે સબંધ પિતાથી આગળ વધે છે ન કે માતાથી?

ઈમામ મુસા કાઝીમ (અ.સ.) એ જવાબમાં મુબાહેલાની આયત બયાન કરી:

પરંતુ તે વિષે જે ઈલ્મ તમને મળી ચૂકયું છે તે પછી પણ જે કોઈ તમારી સાથે તેમના સબંધ માં તકરાર કરે તો તમે કહો કે આવો અમે અમારા ફરઝંદોને બોલાવીએ તમે તમારા ફરઝંદોને બોલાવો અને અમે અમારી ઔરતોને બોલાવીએ તમે તમારી ઔરતોને બોલાવો અને અમે અમારા નફસોને બોલાવીએ તમે તમારા નફસોને બોલાવો; પછી આપણે કરગરીને દોઆ કરીએ અને જુઠું બોલનારાઓ ઉપર અલ્લાહની લઅનત કરીએ.

પછી આપ (અ.સ.)એ ફરમાવ્યું: કોઈ એ પણ દાવો નથી કર્યો કે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ અલી (અ.સ.), ફાતેમા (સ.અ.), હસન (અ.સ.) અનેહુસૈન (અ.સ.) સિવાય બીજા કોઈને મુબાહેલા માટે લઈ ગયા હોય. તેથી આ આયતની તફસીર આમુજબછે‘અમારા ફરઝંદો થી મુરાદ હસન (અ.સ.) અને હુસૈન (અ.સ.), ‘અમારી ઔરતો થી મુરાદ સીદ્દીકા, તાહેરા, જનાબેફાતેમા (સ.અ.) અને ‘અમારાનફસો’થી મુરાદ અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબીતાલિબ (અ.સ.) છે.

અમીરૂલ મોઅમેનીન (અ.સ.) રસુલુલ્લાહ (સ.અ.વ.)ના‘નફસ’છે. બધા આલીમો આ બાબતે એકમત છે કે જીબ્રઈલ (અ.સ.) એ ઓહદના સમયે કહ્યું:

‘અય મોહમ્મદ (સ.અ.વ.)! આ કુરબાનીઓ અલી (અ.સ.) તરફથી છે.’

રસુલુલ્લાહ(સ.અ.વ.)એ જવાબમાં ફરમાવ્યું: આ એટલા માટે કારણ કે હું અલી(અ.સ.)થી છું અને અલી(અ.સ.) મારાથી છે.

આ ના જવાબમાં જીબ્રઈલ(અ.સ.) એ કહ્યું:અને હું તમારા બન્નેથી છું યારસુલુલ્લાહ! કોઈ જવાન નથી સિવાય અલી (અ.સ.) અને કોઈ તલવાર નથી સિવાય ઝુલ્ફીકાર.

અલી (અ.સ.)ની મિસાલ એવી જ છે જેવી ઈબ્રાહીમ (અ.સ.)ની, જે રીતે કુરઆનમાં વર્ણન થયું છે:

“તેઓએ કહ્યું:અમો એ એક નવયુવાન કે જે ઈબ્રાહીમ(અ.સ.)ના નામે પ્રખ્યાત છે તેમને તેઓના બારામાં બોલતા સાંભળ્યા છે.”

(સુરએઅંબીયા-21, આયત60)

અમો જીબ્રઈલ (અ.સ.)ના વખાણ ઉપર ગર્વ કરીએ છીએ કે બેશક તે અમોમાંથી છે

  • અલ એહતેજાજ, ભા. 2, પા. 292
  • ઝખાએરૂલ ઉકવા, ભા. 6, પા. 114
  • મજમઉલ ઝવાએદ, ભા. 6, પા. 114
  • ઉમદા હલકારી, ભા. 6, પા. 214
  • અલ મોઅજમુલ કબીર, ભા. 1, પા. 318
  • ક્ન્ઝુલઉમ્માલ, ભા. 13, પા. 144

સહાબીઓ પણ મુબાહેલાના મહત્વથી માહિતગાર હતા:

સહાબીઓ અને સામાન્ય મુસલમાનો મુબાહેલાથી જાડાએલ ફઝીલતને જાણતા હતા અને ન ચાહતા હોવા છતાં એહલેબૈત (અ.મુ.સ.)નો એહતેરામ કરતા હતા અથવા કમસેકમ તેઓની ટીકા અથવા અપમાનથી દૂર રહેતા હતા.

આમીર બિન સાદ નકલ કરે છે: મોઆવીયાએ મારા પિતાને કહ્યું: અબુતુરાબ અમીરૂલમોઅમેનીન (અ.સ.) ઉપર લઅનત કરવાથી તમને કઈ ચીઝ રોકે છે.?

તેમણે જવાબમાં કહ્યું:  ત્રણ ચીજો જે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ તેમના બારામાં બયાન કરીછે… જ્યારે આયએ મુબાહેલા નાઝીલ થઈ: ‘આવો અમે અમારા ફરઝંદોને બોલાવીએ તમે તમારા ફરઝંદોને…’ રસુલુલ્લાહ (સ.અ.વ.)એ અલી(અ.સ.), ફાતેમા(સ.અ.), હસન(અ.સ.) અને હુસૈન (અ.સ.)ની પોતાની સાથે લીધા અને એલાન કર્યું: આ મારા વારસદારો છે.

  • તફસીરે અય્યાશીમાં સુરએ આલે ઈમરાન-3: 61 ની તફસીર હેઠળ
  • તફસીરે બુરહાન, ભા. 1, પા. 290

શા માટે રસુલુલ્લાહ (સ.અ.વ.) સહાબીઓને લઈ ગયા?

જ્યારે મુસલમાનો મુબાહેલાના પ્રસંગને ગણકારતા નથી અને એમ માને છે સહાબીઓ પણ સક્ષમ હતા. આ બાબતે હકીકત એ છે કે રસુલુલ્લાહ(સ.અ.વ.) સહાબીઓને કોઈ કારણ થી નથી લઈ ગયા. ભૂતકાળમાં કોઈ નબી મુબાહેલા માટે પોતાના સહાબીઓને નથી લઈ ગયા, તેઓ હંમેશા પોતાના કુટુંબીજનોને લઈ ગયા હતા.બની ઈસ્રાઈલ કે જેઓએ ઘણા બધા અંબીયા (અ.મુ.સ.)ને જોયા હતા. તેઓ આ સુન્નતથી માહિતગાર હતા, જેમ કે આ બનાવ સ્પષ્ટ કરે છે:

હુઝૈફા બિન યમાન નકલ કરે છે: હું મદીનામાં હતો ત્યારે નજરાનના બે પાદરીઓ સય્યીદ અને આકીબ રસુલુલ્લાહ (સ.અ.વ.) પાસે આવ્યા અને આપ (સ.અ.વ.)ને મુબાહેલા માટે પડકાર્યા.

જ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.) મુબાહેલા માટે તૈયાર થયા. આકીબે સય્યીદને કહ્યું: અય સય્યીદ! અગર મોહમ્મદ (સ.અ.વ.) તેમના સહાબીઓ સાથે મુબાહેલા માટે આવે તો તેઓ નબી નથી. અગર તેઓ પોતાના કુટુંબ સાથે આવે તો તેઓ સાચા નબી અને અલ્લાહના રસુલ છે.

  • શહાદેદુત્તન્ઝીલમાં સુરએ આલે ઈમરાન-3, 61ની તફસીર હેઠળ

નજરાનના ઈસાઈઓ મદીનાના મુસલમાનો કરતા બહેતર:

નજરાનના ઈસાઈઓએ જ્યારે નૂરાની શખ્સીયતોને જોયા તો મુબાહેલા કરવાથી પાછા હટી ગયા કારણકે તેઓને ડર હતો કે આલેમોહમ્મદ (અ.મુ.સ.)ની લઅનત અને ન ફરીનથી કોઈ એક ઈસાઈ પણ બાકી નહિ રહે. આ આલે મોહમ્મદ (અ.મુ.સ.)ની હક્કનીય્યતનો પુરાવો છે વરના ઈસાઈઓ પાછા નફરત. અલબત્ત્ ઈસ્લામ અને તૌહીદમાં ન માનવાથી નજરાનના ઈસાઈઓ ચારિત્ર્યના સારા ન્યાયધીશો હતા.

કમનસીબે મદીનાના મુસલમાનો માટે આમ ન કહી શકાય. મુબાહેલાના બનાવના એક વર્ષ પછી આ મુસલમાનો એ જનાબે ફાતેમાઝહરા (સ.અ.)ને મિલ્કતના વિવાદમાં પડકાર્યા અને આપ (સ.અ.)ની ગવાહી, અલી ઈબ્ને અબીતાલિબ (અ.સ.)ની ગવાહી, હસન(અ.સ.)ની ગવાહી અને હુસૈન (અ.સ.)ની ગવાહીને રદ કરી અને (નઉઝોબિલ્લાહ) તેમને જુઠલાવ્યા. તેની સામે તેઓએ સહાબીઓ અને પત્નિઓની ગવાહીને આ બાબતમાં કબુલ રાખી.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*